શનિવારે ૧૭ મી સપ્ટેમ્બરે જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે ઓશવાળ સેન્ટર ખાતે બે કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાન થયું. આ ઉપરાંત શ્રેષ્ઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રણી ગણેશ મહોત્સવ મંડળોએ ભાગ લીધો હતો. આ બંને કાર્યક્રમોમાં શહેર ભાજપાનાં અગ્રણીઓ, હોદેદારો તથા કાર્યકરો ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું. મહિલાઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો