શનિવારે ૧૭ મી સપ્ટેમ્બરે જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વડાપ્રધાનનાં જન્મદિન નિમિત્તે ઓશવાળ સેન્ટર ખાતે બે કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાન થયું. આ ઉપરાંત શ્રેષ્ઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શહેરના અગ્રણી ગણેશ મહોત્સવ મંડળોએ ભાગ લીધો હતો. આ બંને કાર્યક્રમોમાં શહેર ભાજપાનાં અગ્રણીઓ, હોદેદારો તથા કાર્યકરો ઉપરાંત રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં અને રક્તદાન કર્યું હતું. મહિલાઓએ પણ નોંધપાત્ર સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો