જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ વિભાગોનાં સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. શનિવારે સરકારે જાહેર કર્યું કે, કર્મચારીઓ સાથે સમાધાન થયું. નવ લાખ કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા. વાસ્તવિકતા અલગ છે, હજારો કર્મચારીઓનાં આંદોલન ચાલુ છે. જામનગરમાં જિલ્લા પંચાયતમાં હિસાબી, વહીવટી તથા આંકડા વિભાગનાં અંદાજે ૧૦૦ થી વધુ કર્મચારીઓ તથા અધિકારીઓ શનિવારે માસ સીએલ પર એટલે કે સામૂહિક રજા પર હતાં. આંદોલન સમેટાયું નથી. કર્મચારીઓની સંખ્યાબંધ માંગણી સ્વીકારવામાં આવી નથી. જામનગરમાં કર્મચારીઓનાં જાણીતાં આગેવાનો શનિવારે આખો દિવસ ગૂમ રહ્યા. લાલપુર તાલુકાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આર.ટી. જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ આંદોલન ચાલુ રાખ્યું છે. હજુ આંદોલન ચાલુ જ રહેશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો