જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેવાસેતુ કેમ્પ યોજાયો હતો , આ સેવા સેતુ કેમ્પમાં જામ્યુકો અને મામલતદાર કચેરીની વિવિધ સેવાઓ એક જ સ્થળે થી શહેરીજનોને મળી રહે તેવા આશય સાથે આ સેવા સેતુ કેમ યોજાયો હતો, આ કેમ્પ દરમિયાન કમિશનર વિજયકુમાર ખરાડીના આદેશ અનુસાર, નાયબ કમિશનર ભાવેશ જાનીના મોનીટરીંગ અંતર્ગત તથા કંટ્રોલિંગ ઓફિસર યૂસીડી શાખા જીજ્ઞેશ નિર્મળ , પ્રોજેક્ટ ઓફિસર અશોક જોશીના માર્ગદર્શન મુજબ જામ્યુકો જામનગર મહાનગરપાલિકા ના UCD વિભાગ દ્વારા ચાલતી વિવિધ સેવાઓ પણ ઉપલબ્ધ હોય ,જેમાં શાકભાજીનું વેચાણ કરતા નિરાધાર દંપત્તિને રૂપિયા 50,000ની PMJYલોન નો ચેક બેંક અધિકારીઓ તથા યુ.સી.ડી.ના પ્રોજેક્ટ ઓફિસરની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો્.
મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં ચમનભાઈ ભવાનભાઈ મકવાણા એ અગાઉ ₹10,000 અને ત્યારબાદ ₹20,000 ની લોન નું સમયસર ચુકવણું કર્યા બાદ તેઓની સરકાર દ્વારા રૂપિયા 50000ની લોન મંજૂર કરવામાં આવેલ હોય તેમને સેવા સેતુ કેમ્પ દરમિયાન ચેક વિતરણ કરવામાં આવ્યો હતો , PMJY લોન મેળવનાર ચમનભાઈ મકવાણા જણાવે છે કે જ્યારે કોરોના આવ્યો ત્યારે લોકડાઉનના સમયમાં અમો મજૂરી કામ કરી છીએ, શાકભાજીનું વેચાણ કરી મારા પરિવારનું ગુજરાન ચાલે છે, પરિવારમાં માત્ર હું અને મારી પત્ની અમે બંને જ છીએ અમારે કોઈ સંતાન નથી નિરાધાર જીવન જીવીએ છીએ પ્રધાનમંત્રી શહેરી ફેરિયાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલી લોન મારા માટે આશીર્વાદ સમાન બની છે શરૂઆતના સમયમાં નાની લોન લીધી ત્યાર પછી ધીમે ધીમે તેના ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યા અને આજે શાકભાજીની હું ફેરી કરું છું જે વ્યવસાયને આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા મને રૂપિયા 50,000 ની લોન મળી છે આથી હું અને મારા પત્ની અમો બંને શાકભાજી નું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવીએ છીએ આ લોન સરકાર દ્વારા પ્રાપ્ત થઈ છે , જેના થકી હું મારો શાકભાજી નો વ્યાપાર વધુ પડતો વિકસાવીશ અને લોનના ઇન્સ્ટોલમેન્ટ નું પણ સમયસર ચુકવણું કરીશ.
આ તકે જામ્યુકોના યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોક જોશી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બેડી બંદર શાખાના મેનેજર S.H. તિવારી, જામનગર લીડ બેંકના મેનેજર દીક્ષિતભાઈ , યુસીડી વિભાગના PMJY ના મેનેજર વિપુલભાઈ વ્યાસ અને પૂનમ ભગત ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો