જામનગરમાં શિક્ષક દિન નિમિત્તે તથા ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જન્મ દિવસ નિમિત્તે તેઓનાં પત્ની રિવાબા જાડેજા સંચાલિત માતૃશક્તિ ટ્રસ્ટ દ્વારા અગ્નિપથ યોજનાનાં અગ્નિવીરોને યોગ્ય તાલીમ મળી રહે, એક્સ આર્મીમેનનુ માર્ગદર્શન મળી રહે તે માટે જામનગર આસપાસના છ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અંગે સોમવારે રિવાબા જાડેજા દ્વારા વિગતો આપવામાં આવી હતી.
આ તાલીમકેન્દ્રો બાળા, ફલ્લા, મોટા વાગુદળ, નારણપર, લાખાબાવળ અને મોટી ખાવડી ખાતે શરૂ કરવામાં આવ્યા છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો