મુખ્ય સામગ્રી પર જાઓ

ગોપાલક માલધારી સેના દ્વારા આવેદનપત્ર

    જામનગરમાં ગોપાલક માલધારી સેના દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, પશુઓ પકડવાની કામગીરી દરમિયાન કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા માલધારીઓ પર બળજબરી કરવામાં આવે છે. પાસા હેઠળ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે. આ ઉપરાંત રબારી સહિતનાં વિવિધ સમાજોને છેલ્લાં પાંચ વર્ષથી ST નાં પ્રમાણપત્રો આપવાનું બંધ કરવામાં આવ્યું છે તે કામગીરી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
આ તકે આગેવાનો લખન રાણંગા અને જનક ગઢવી વગેરે હાજર રહ્યા હતાં.


 

ટિપ્પણીઓ