ભોઇરાજ મિત્ર મંડળ અને નદીપા સાર્વજનિક મહોત્સવ મંડળ દ્વારા ગણપતિ દાદા ના સ્થાપિત 5 મા દિવસે અન્નકૂટ દર્શન અને મહા આરતી યોજવામાં આવી હતી એ પ્રસંગે જામનગર હનુમાન મંદિરના પ્રમુખ અને વેપારી અગ્રણી હરિદાસ જીવણદાસ લાલ ચેડીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ હરિદાસભાઈ લાલ તેમજ વોર્ડ નંબર 10 ના નગરસેવક મુકેશભાઈ માતંગ અને નગરસેવિકા ક્રિષ્નાબેન સોઢા તમામ મહાનુભાવો દ્વારા ગણપતિ દાદાની આરતી ઉતારી અન્નકૂટ દર્શન કર્યા હતા.સમગ્ર આરતી દરમિયાન ભોઈરાજ મિત્ર મંડળના તમામ સભ્યો એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો