જામનગર સહિત રાજ્યભરમાં સોમવારે આશાવર્કર બહેનો દ્વારા આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. જામનગરમાં પણ વિશાળ રેલી યોજવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેતન વધારવાની માંગણી, કાયમી કરવાની માંગણી તથા કોરોનાકાળ દરમિયાન કોરોના વોરિયર્સ જાહેર કરવામાં આવેલાં આ બહેનોને હજુ સુધી મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી -- વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
આવદેનપત્રમાં જણાવાયું છે કે, પૂર્વ આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે રૂપિયા બે બજારનો વધારો કરી રૂપિયા પ૦૦૦ આપવામાં આવશે. પરંતુ હાલ મોંઘવારીએ માજામુકી છે. રાધણગેસના ભાવ, તેલના ભાવ તેમજ જીવન જરૂયિાતની વસ્તુઓના ભાવ આસમાને છે ત્યારે આ બે હજાર જેવો મામુલી વધારો કરીને મજાક કરી હોય તેવું આશા વર્કર બહેનોને લાગી રહ્યું છે. આવેદનમાં જણાવાયુ છે કે દ્રહ્યષ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર)એ કોરોના કાળમાં ૧૦ લાખ આશા વર્કર બહેનોને ડીરેકટર-જનરલ ગ્લોબલ હેલ્થ એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. આવેદનપત્રમાં જણાવેલ માંગણીઓ નહિ સંતોષાય ત્યાં સુધી અનિશ્વત મુદત સુધી હડતાળ જાહેર કરી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો