કાલાવડ રોડ પર ઠેબા-થાવરીયા વચ્ચેના માર્ગ પર ડબલ સવારી બાઇક તથા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર અલિયાબાડા પાટિયા તરફ આવી રહેલાં રઘાભાઇ ધુડાભાઇ સિંધવ (ઉં.૪૫) તથા તેના પુત્ર અજયના (ઉં.૧૪) બાઇકને અકસ્માત નડતાં આ પિતાપુત્રના મોત નિપજ્યા છે. આઇઓસીના પમ્પિંગ સ્ટેશન નજીક આ ઘટના બનેલી. જો કે અકસ્માત સર્જનાર વાહન કયું હતું? તે હજૂ જાહેર થયું નથી. ટ્રિપલ અકસ્માત હોવાનું પણ કહેવાય છે. અકસ્માત સર્જનાર વાહન વિરૂધ્ધ હજૂ ગુનો નોંધાયો નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને અકસ્માત અંગે વિગતો મેળવી હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો