જામનગર એસઓજી એ બિલ વિનાના કોપર-એલ્યુમીનીયમના ૧૦૦૦ કિલો વાયર (અંદાજીત કિંમત રૂપિયા ૭૦૦૦૦) સાથે જગદિશ (જિગર) રાયદે રાવલીયા તથા ધર્મદ્રીપસિંહ નિરૂભા જેઠવાને ઝડપી લીધાં છે. આ શકમંદ જથ્થો રણજિતનગર, હર્ષદ મંદિર સામે પવન મહાજન નામના શખ્સના મકાનમાંથી મળી આવ્યો છે. આ જથ્થો બિલવિનાનો હોય બન્ને ઉપર આર.પી.સી. કલમ ૪૧ (૧)ડી મુજબ અટક કરી સીટી સી પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આગળની તપાસ સીટી સી પોલીસ સ્ટેશન કરશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો