એલઆરડીની ભરતી પરીક્ષાનું પરિણામ ૨૦૧૯ માં જાહેર થઇ ગયા પછી, એલઆરડીના મહિલા ઉમેદવારોના આંદોલન બાદ સરકારે તેઓ માટે ૨૪૮૫ બેઠકો વધારી દીધી છે પરંતુ એલઆરડીના પુરૂષ ઉમેદવારોને સરકાર અન્યાય કરે છે. રજૂઆતો કરવા દેતી નથી. આંદોલન પોલીસબળથી દબાવી દેવામાં આવે છે. ચૂંટણીસમયે નેતાઓની રેલી, સભાઓ જાય છે. અન્યાય સામે નાગરિકોના આંદોલનને કોરોના નામે દબાવી દેવામાં આવે છે. ચૂંટણીસભાની મંજૂરી આપતી ગુજરાત પોલીસ એેલઆરડીના ઉમેદવારોને અન્યાય વિરૂધ્ધના આંદોલનને મંજૂરી આપતી નથી.
પાટનગર ગાંધીનગરમાં પોલીસની મદદથી તાનાશાહી ચલાવવામાં આવે છે. અનેક રજૂઆતો પછી થાકેલાં આ ઉમેદવારોએ સરકાર સમક્ષ ઇચ્છા મૃત્યુની માંગણી કરી છે, જામનગરમાં સતાવાળાઓને આ અંગે આવેદનપત્ર આપ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો