જામનગરમાં ભૂતિયા નળજોડાણો શોધી કાઢવા માટે મહાનગરપાલિકાએ કુલ ૩૧૩૦૬૯ મિલ્કતોનો સર્વે કરેલો જે પૈકી ૧૧૦૪૮ મિલ્કતોમાં ગેરકાયદેસર નવજોડાણ મળી આવ્યા છે. હજૂ ૧૩૭૯૭ મિલ્કતોનો સર્વે કરવામાં આવશે. મહાનગરપાલિકાની ૧૪ ટીમ આ સર્વે કામગીરી કરે છે. ૧૧૦૪૮ ગેરકાયદે નળજોડાણો પૈકી ૪૨૦૯ નવજોડાણો ફી ભરીને કાયદેસર કરવામાં આવતાં મહાનગરપાલિકાને રૂપિયા ૬૪ લાખની આવક થઇ છે. દરરોજ ૨૦૦-૨૫૦ જેટલાં નળજોડાણધારકો ફી ભરી જોડાણો કાયદેસર કરાવે છે.
શહેરમાં કુલ ૧૬૪૬૩૪ રહેણાંક મિલકતો છે. જે પૈકી મહાનગરપાલિકાના ચોપડે ૧૧૯૫૨૮ મિલ્કતોમાં નળજોડાણ છે. ૩૧ ડિસેમ્બર સુધી આ કાર્યવાહી થશે બાદમાં પોલીસ દ્વારા ફરિયાદ સંબંધી કામગીરી કરવામાં આવશે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો