જામનગરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ ગોલ્ડન સિટી નજીક સોનલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પશુઓ માટે બનાવવામાં આવેલા ડબ્બામાં શુક્રવારે મધરાતે માલધારીઓ ત્રાટકયા હતા અને બેરીકેડ વગેરે તોડફોડ કરી, ૧૬૨ પશુઓ છોડાવી ગયાં હોવાનું કોર્પોરેશને ખુદે શનિવારે જાહેર કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ રણજિતસાગર નજીકનાં ઢોરના ડબ્બામાંથી ઢોર છોડાવી જવા સંબંધિત એક પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થવા પામી નથી. થોડાં સમય પહેલાં મારૂ કંસારા વાડી વિસ્તારમાં ઢોર પક્કડ ટૂકડી સાથેના પોલીસ કર્મીઓ પર હુમલો પણ થયો હતો. આજે સોમવાર સાંજ સુધીમાં આ અંગે મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ કે અન્ય કોઇ નુકસાની અંગે વિગતો જાહેર કરી નથી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો