જામનગરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની રથયાત્રા ખંભાલીયા ગેટ, સેતાવડ, ચાંદી બજાર થઈ પરત મંદિર ખાતે ફરી હતી.
દશ લક્ષણ પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ તા ૩૧/૦૮/૨૦૨૨ બુધવાર થી ભાદરવાસુદ ૧૪ તા ૦૯/૦૯/૨૦૨૨ શુક્રવાર દરમિયાન નીચે મુજબ કાર્યક્રમ થયા હતા.
રોજ સવારે શ્રીજિનેન્દ્ર અભિષેક, દશ લક્ષણ સમૂહ પૂજા, પૂજ્ય ગુરુદેવનું સી.ડી. ટેપ પ્રવચન, ત્યાર બાદ દેવાલાલીથી પધારેલ બાલ બ્રમ્હ્ચારી શ્રી જીનલબેન શાહ નો સ્વાધ્યાય, સાંજે ભક્તિ તથા આરતી, ત્યાર બાદ પ્રતિક્રમણ, ત્યાર બાદ સાંજે પણ શ્રી જીનલ બેન શાહ નો સ્વાધ્યાય ઉપરના પ્રોગ્રામ દસ દિવસ થયા હતા
પ્રમખ બીપીનભાઈ વાધર, ઉપપ્રમુખ સુનીલભાઈ પૂનાતર, મંત્રી દિલીપભાઈ શાહ, તથા ટ્રસ્ટી હિતેન ભાઈ મેહતા , આશિષભાઈ મેહતા, વીમલભાઈ વારીયા, અજય ભાઈ વાધર, પરાગભાઈ બોધાણી વગેરે તથા મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો