મુખ્ય સામગ્રી પર જાઓ

નગરજનોને ફાયર સેફટીના સાધનોની માહિતી આપવામાં આવી


    જામનગરના કમિશનર  વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર  ભાવેશભાઈ જાનીની સૂચના અનુસાર,  શહેરની ફાયર સિસ્ટમ ધરાવતી ઇમારતોના રહેવાસીઓને ફાયર સિસ્ટમ અંગેની સમયાંતરે ફાયર શાખાના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે તાજેતરમાં જામ્યુંકોના ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગોના રહેવાસીઓને ફાયરના સાધનો વિશેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

    જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા રહેણાક વિસ્તારો ની બિલ્ડીંગોમાં જ્યાં ફાયર સિસ્ટમ ફીટીંગ કરેલ હોય તેવી ઇમારતો ના રહેવાસીઓને ગુજરાત રાજ્ય ચીફ ફાયર ઓફિસર  કે.કે. બિશ્નોયના માર્ગદર્શન મુજબ ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમ નો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે તે સહિતની બાબતો વિશે  જામ્યુંકો ની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી,  તેમજ ફાયર સેફ્ટીના સાધનો શહેરની બિલ્ડિંગોમાં ચાલુ કન્ડિશનમાં છે તે સહિતની જાણકારી રહેણાંક બિલ્ડીંગો માં  વસવાટ કરતા શહેરીજનોને આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી રાજ્ય ચીફ ફાયર ઓફિસર  કે.કે. બિશ્નોઇની રાહબરી હેઠળ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી. એસ. પંડિયન સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...