જામનગરના કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીની સૂચના અનુસાર, શહેરની ફાયર સિસ્ટમ ધરાવતી ઇમારતોના રહેવાસીઓને ફાયર સિસ્ટમ અંગેની સમયાંતરે ફાયર શાખાના સ્ટાફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે તાજેતરમાં જામ્યુંકોના ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગોના રહેવાસીઓને ફાયરના સાધનો વિશેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા રહેણાક વિસ્તારો ની બિલ્ડીંગોમાં જ્યાં ફાયર સિસ્ટમ ફીટીંગ કરેલ હોય તેવી ઇમારતો ના રહેવાસીઓને ગુજરાત રાજ્ય ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોયના માર્ગદર્શન મુજબ ફાયર શાખાના સ્ટાફે ફાયર સિસ્ટમ નો ઉપયોગ અકસ્માતના સમયે કેવી રીતે કરવો જોઈએ તેમજ કેવા સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીના સાધનોથી અકસ્માતના સમયમાં બચાવ કરી શકાય છે તે સહિતની બાબતો વિશે જામ્યુંકો ની ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી, તેમજ ફાયર સેફ્ટીના સાધનો શહેરની બિલ્ડિંગોમાં ચાલુ કન્ડિશનમાં છે તે સહિતની જાણકારી રહેણાંક બિલ્ડીંગો માં વસવાટ કરતા શહેરીજનોને આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી રાજ્ય ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇની રાહબરી હેઠળ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી. એસ. પંડિયન સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો