આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન વોર્ડ નંબર ૨ અને ૫ ની સંયુકત પ્રભાત ફેરી ગુરુ દત્તાત્રેય ના મંદિરે થી સ્વામી વિવેકાનંદ ના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી. આ પ્રભાત ફેરી મા સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, પવનહંસના ડાયરેક્ટર- પૂર્વ મેયર અમીબેન પરીખ, કોર્પોરેટરો, પ્રમુખ અને મહામંત્રીઓ અને સંગઠનના લોકો હાજર રહ્યા હતાં.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો