તાજેતરમાં મેંગોપીપલ પરીવાર દ્વારા કીયારાના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવેલ. તેમના દાદા દ્વારા પૌત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જરુરીયાતમંદ ૮૦થી વધુ દીકરીઓને સેનેટરીપેડ તથા અન્ડરગાર્મેન્ટ નું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
સાથે સાથે દરેક દીકરીઓને અનલીમીટેડ સાઉથ ઇન્ડિયન નાસ્તાની પણ મજા કરાવવામાં આવી હતી.
આ સતકર્મમાં મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ, રુપલબેન રાઠોડ, ઉષાબેન રાવત તથા પરેશભાઈ શેઠે જહેમત ઉઠાવી હતી.
મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ, જામનગર અને વાંકાનેરની જરૂરીયાતમંદ બહેનો દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત તાજેતરમાં જ સતકર્મના પાંચમા વર્ષમાં મંગલપ્રવેશથી દીકરીઓને નિ:શુલ્ક સેનેટરી પેડની સાથે સાથે નિ:શુલ્ક અન્ડરગાર્મેન્ટ પણ અપાઇ રહ્યા છે.
આ સેવાકીય સતકર્મની વધુ માહિતી માટે અને આપનું અમૂલ્ય યોગદાન આપવા માટે મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડ (મો.૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો