જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૬ મા સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે ૮:૩૦ વાગ્યે ચાંદી બજાર ચોક વોર્ડ નંબર ૯ ખાતે દેશભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ સંગીત સંધ્યા જામનગરના રાજ રાણાની પાર્ટી અને સાથી કલાકારો દ્વારા દેશભક્તિ ની થીમ પર વિવિધ ગાયન રજૂ કરવામાં આવ્યા હતા મેરા રંગ દે બસંતી ચોલા તેમજ મેરે દેશ કી ધરતી જેવા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળ કલાકારો દ્વારા દેશભક્તિ વિષયક વકતૃત્વ આપવામાં આવ્યું હતું.
આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી.ફળદુ , ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા , ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોરાણી, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો જામનગર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન બિમલ ઓઝાએ કર્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો