મુખ્ય સામગ્રી પર જાઓ

આચાર્યોની બદલીઓ રદ, પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ

 


    જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થોડાં સમય પહેલાં સમિતિ હસ્તકની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) ની બદલીઓ કરવામાં આવી હતી. જે-તે સમયે આ બદલીઓમાં ચોક્કસ પ્રકારની ગોઠવણ થયાનો આક્ષેપ જાહેર થયા બાદ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા ગાંધીનગર ખાતે ઉપરોક્ત બદલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ છૂટ્યો છે કે, ઉપરોક્ત ત્રણેય બદલીઓના આદેશ રદ્ કરવામાં આવે.
    અત્રે નોંધનીય છે કે, જે-તે સમયે, સમિતિએ પાણાખાણ શાળા નં. ૧૯ નાં આચાર્યા દીપા મહેતાની બદલી જોડિયા ભૂંગાના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળા નં. ૩૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારમાં આવેલી શાળા નં. ૫૦ નાં આચાર્ય જયેશ વ્યાસની બદલી બેડેશ્વર વિસ્તારમાં શાળા નં. ૨૭/૫૧ માં કરવામાં આવી હતી. અને, જોડિયા ભૂંગાની શાળા નં. ૩૦ માંથી આચાર્યા હેમાંગિની ખાણધરની બદલી ગાંધીનગર વિસ્તારમાં શાળા નં. ૫૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર કક્ષાએથી બદલીઓના આ હુકમ રદ્દ થતાં હવે ત્રણેય મુખ્ય શિક્ષકોને પોતાની મૂળ જગ્યાએ, પુનઃ તેઓની જૂની શાળા ખાતે મૂકવાના રહેશે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...