મુખ્ય સામગ્રી પર જાઓ

આચાર્યોની બદલીઓ રદ, પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ

 


    જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થોડાં સમય પહેલાં સમિતિ હસ્તકની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) ની બદલીઓ કરવામાં આવી હતી. જે-તે સમયે આ બદલીઓમાં ચોક્કસ પ્રકારની ગોઠવણ થયાનો આક્ષેપ જાહેર થયા બાદ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા દ્વારા ગાંધીનગર ખાતે ઉપરોક્ત બદલીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતનાં અનુસંધાને પ્રાથમિક શિક્ષણ નિયામકનો આદેશ છૂટ્યો છે કે, ઉપરોક્ત ત્રણેય બદલીઓના આદેશ રદ્ કરવામાં આવે.
    અત્રે નોંધનીય છે કે, જે-તે સમયે, સમિતિએ પાણાખાણ શાળા નં. ૧૯ નાં આચાર્યા દીપા મહેતાની બદલી જોડિયા ભૂંગાના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળા નં. ૩૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર વિસ્તારમાં આવેલી શાળા નં. ૫૦ નાં આચાર્ય જયેશ વ્યાસની બદલી બેડેશ્વર વિસ્તારમાં શાળા નં. ૨૭/૫૧ માં કરવામાં આવી હતી. અને, જોડિયા ભૂંગાની શાળા નં. ૩૦ માંથી આચાર્યા હેમાંગિની ખાણધરની બદલી ગાંધીનગર વિસ્તારમાં શાળા નં. ૫૦ માં કરવામાં આવી હતી. ગાંધીનગર કક્ષાએથી બદલીઓના આ હુકમ રદ્દ થતાં હવે ત્રણેય મુખ્ય શિક્ષકોને પોતાની મૂળ જગ્યાએ, પુનઃ તેઓની જૂની શાળા ખાતે મૂકવાના રહેશે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...