જામનગરમાં હિતેષ ચંદ્રકાંતભાઇ પરમાર નામના ૪૨ વર્ષના યુવાન, મેડીકલ સ્ટોર સંચાલકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. તેણે સુસાઇડ નોટમાં બે જમીનમાફિયાઓના નામો-મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જામનગર નજીકના જૂના નાગના ખાતે તેઓની જમીન "સસ્તામા" અને ચોકકસ શરતો સાથે પંચાવી પાડવાની આ માફિયાઓની તમન્ના હતી એવું મૃતકના પત્નિ નયનાબેન પોલીસ સમક્ષની અરજીમાં જણાવ્યું છે.
જૂના નાગનામાં તથા જામનગર શહેરની આસપાસ ઘણાં સતવારા પરિવારોની જમીનો આ રીતે આંચકી લેવામાં આવે છે એવું મૃતકના પત્ની કહે છે.
મૃતક હિતેષભાઇ ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રિષ્ના સ્કૂલ નજીક રોયલ એન્કલંવ એનઆરઆઇ બંગ્લોઝમાં વસવાટ કરતાં હતાં અને બે સંતાનોના પિતા હતાં.
સરકારે થોડાં દિવસ પહેલાં નવા કાયદાના અમલ સાથે જાહેર કરેલું કે, રાજ્યમાં જમીન માફિયાકઓની હવે ખેર નથી. જોઇએ હવે જામનગરમાં આ કેસમાં શું થાય છે ?


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો