- ઉતરપ્રદેસના ગોંડા જિલ્લામાં રામ જાનકી મંદિરના પૂજારી પર કોઇએ ફાયરિંગ કયું<. ઘાયલ સાધુને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- હાથરસકાંડની તપાસ અત્યાર સુધી રાજ્ય સરકારની એસઆઇટી કરતી હતી, હવે આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એસઆઇટીના તપાસ રિપોર્ટ પહેલાં એવું જાહેર થયું કે, રિપોર્ટમાં પોલીસને કલીનચિટની વાત હતી તથા આ કાંડમાં દુષ્કર્મ થયું જ નથી તેવું પણ રિપોર્ટમાં કહેવાય શકે છે.
- હાથરસકાંડ મામલે રાહુલનું નિવેદન: કેટલાંક ભારતીયો દલિતો-મુસ્લિમો અને આદિવાસીઓને "ઇન્સાન" સમજતાં જ નથી
- આઇપીએલમાં ચેન્નાઇની ટીમ ૭ પૈકી પાંચ મેચ હારી છે: ધોની પણ ફેઇલ જોવા મળે છે: દર્શકોને આઘાત,નારાજગી: ધોની દોષનો ટોપલો ટીમના અન્ય બેટધરો પર ઓઢાડે છે!
- ત્રણ તલ્લાક વિરૂધ્ધ જંગ લડનારી સાયરાબાનો ભાજપામાં જોડાઇ ગઇ છે: ૨૦૧૬ માં તેણે આ લડાઇનો પ્રારંભ કરેલો: આ કાનૂની જંગમાં તેણીને વિજય મળેલો: તેણી ઉતરાખંડના ઉધમસિંહ શહેરની રહેવાસી છે.
- મુંબઇમાં કરણી સેનાએ એક વેબ સિરીઝનું શૂટિંગ અટકાવ્યું: આ સિરીઝ એડલ્ટ હોવાનો સેનાનો આક્ષેપ
- પ્રધાનમંત્રી આજે સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાવશે: આજે કુલ ૧ લાખ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ આપવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ
- ટીઆરપી કૌભાંડ: રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામસિંહને સમન્સ મોકલતી મુંબઇ પોલીસ: હંસા રિસર્ચ સંસ્થા સીઇઓ ને પણ સમન્સ: મંુબઇ પોલીસે આ મામલામાં ઇન્કમટેકસ તથા જીએસટી વિભાગનો પણ સંપર્ક સાધી, ટેકસચોરી શોધી કાઢવા અનુરોધ કર્યો છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો