મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • ઉતરપ્રદેસના ગોંડા જિલ્લામાં રામ જાનકી મંદિરના પૂજારી પર કોઇએ ફાયરિંગ કયું<. ઘાયલ સાધુને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • હાથરસકાંડની તપાસ અત્યાર સુધી રાજ્ય સરકારની એસઆઇટી કરતી હતી, હવે આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એસઆઇટીના તપાસ રિપોર્ટ પહેલાં એવું જાહેર થયું કે, રિપોર્ટમાં પોલીસને કલીનચિટની વાત હતી તથા આ કાંડમાં દુષ્કર્મ થયું જ નથી તેવું પણ રિપોર્ટમાં કહેવાય શકે છે.
  • હાથરસકાંડ મામલે રાહુલનું નિવેદન: કેટલાંક ભારતીયો દલિતો-મુસ્લિમો અને આદિવાસીઓને "ઇન્સાન" સમજતાં જ નથી
  • આઇપીએલમાં ચેન્નાઇની ટીમ ૭ પૈકી પાંચ મેચ હારી છે: ધોની પણ ફેઇલ જોવા મળે છે: દર્શકોને આઘાત,નારાજગી: ધોની દોષનો ટોપલો ટીમના અન્ય બેટધરો પર ઓઢાડે છે!
  • ત્રણ તલ્લાક વિરૂધ્ધ જંગ લડનારી સાયરાબાનો ભાજપામાં જોડાઇ ગઇ છે: ૨૦૧૬ માં તેણે આ લડાઇનો પ્રારંભ કરેલો: આ કાનૂની જંગમાં તેણીને વિજય મળેલો: તેણી ઉતરાખંડના ઉધમસિંહ શહેરની રહેવાસી છે.
  • મુંબઇમાં કરણી સેનાએ એક વેબ સિરીઝનું શૂટિંગ અટકાવ્યું: આ સિરીઝ એડલ્ટ હોવાનો સેનાનો આક્ષેપ
  • પ્રધાનમંત્રી આજે સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાવશે: આજે કુલ ૧ લાખ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ આપવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ
  • ટીઆરપી કૌભાંડ: રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામસિંહને સમન્સ મોકલતી મુંબઇ પોલીસ: હંસા રિસર્ચ સંસ્થા સીઇઓ ને પણ સમન્સ: મંુબઇ પોલીસે આ મામલામાં ઇન્કમટેકસ તથા જીએસટી વિભાગનો પણ સંપર્ક સાધી, ટેકસચોરી શોધી કાઢવા અનુરોધ કર્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...