મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • ઉતરપ્રદેસના ગોંડા જિલ્લામાં રામ જાનકી મંદિરના પૂજારી પર કોઇએ ફાયરિંગ કયું<. ઘાયલ સાધુને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • હાથરસકાંડની તપાસ અત્યાર સુધી રાજ્ય સરકારની એસઆઇટી કરતી હતી, હવે આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એસઆઇટીના તપાસ રિપોર્ટ પહેલાં એવું જાહેર થયું કે, રિપોર્ટમાં પોલીસને કલીનચિટની વાત હતી તથા આ કાંડમાં દુષ્કર્મ થયું જ નથી તેવું પણ રિપોર્ટમાં કહેવાય શકે છે.
  • હાથરસકાંડ મામલે રાહુલનું નિવેદન: કેટલાંક ભારતીયો દલિતો-મુસ્લિમો અને આદિવાસીઓને "ઇન્સાન" સમજતાં જ નથી
  • આઇપીએલમાં ચેન્નાઇની ટીમ ૭ પૈકી પાંચ મેચ હારી છે: ધોની પણ ફેઇલ જોવા મળે છે: દર્શકોને આઘાત,નારાજગી: ધોની દોષનો ટોપલો ટીમના અન્ય બેટધરો પર ઓઢાડે છે!
  • ત્રણ તલ્લાક વિરૂધ્ધ જંગ લડનારી સાયરાબાનો ભાજપામાં જોડાઇ ગઇ છે: ૨૦૧૬ માં તેણે આ લડાઇનો પ્રારંભ કરેલો: આ કાનૂની જંગમાં તેણીને વિજય મળેલો: તેણી ઉતરાખંડના ઉધમસિંહ શહેરની રહેવાસી છે.
  • મુંબઇમાં કરણી સેનાએ એક વેબ સિરીઝનું શૂટિંગ અટકાવ્યું: આ સિરીઝ એડલ્ટ હોવાનો સેનાનો આક્ષેપ
  • પ્રધાનમંત્રી આજે સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાવશે: આજે કુલ ૧ લાખ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ આપવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ
  • ટીઆરપી કૌભાંડ: રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામસિંહને સમન્સ મોકલતી મુંબઇ પોલીસ: હંસા રિસર્ચ સંસ્થા સીઇઓ ને પણ સમન્સ: મંુબઇ પોલીસે આ મામલામાં ઇન્કમટેકસ તથા જીએસટી વિભાગનો પણ સંપર્ક સાધી, ટેકસચોરી શોધી કાઢવા અનુરોધ કર્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...