જામનગરની જગવિખ્યાત દિગ્જામ મિલમાં કામદારોના પગારોની સમસ્યા નવા મેનેજમેન્ટ પછી આજે પણ યથાવત છે. કામદારોના કહેવા પ્રમાણે મેનેજમેન્ટનું વર્તન કામદાર વિરોધી છે. લોકડાઉન દરમ્યાન નો કામદારોને ૫૦ ટકા પગાર આપવાના બદલે મોટાંભાગના કામદારોનો સંપૂર્ણ પગાર કાપી લેવામાં આવ્યો છે.
લોકડાઉન પછીના સમયનો નિયમિત પગાર પણ આપવામાં આવતો નથી. મિલ ફરી શરૂ થવાની અને નિયમિત કામ-પગાર મળવાની કામદારોની આશા ઠગારી નિવડી છે. મિલનું મેનેજમેન્ટ સરકારથી ડરતું નથી અને કોઇ જ આગેવાનો મેનેજમેન્ટ પાસે કામદારોના હિતમાં નિર્ણય લેવડાવી શકયા નથી, કામદારો એકઠાં થાય છે, સૂત્રોચ્ચાર કરે છે, આવેદનપત્રો આપે છે પરંતુ તેઓનું (યુનિયનનું) મેનેજમેન્ટ પાસે કશું ઉપજતું હોય તેવું દેખાતું નથી. આ બબાલ વર્ષો જૂની છે, મેનેજમેન્ટ કોઇને ગાંઠતું નથી!


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો