જામનગર સહિત રાજ્યભરમાં ગઇકાલે ૨૬ ઓકટોબરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો. પરંતુ ખૂલ્લાં બજારમાં ખેડૂતોને મગફળીના ઉંચા ભાવો મળતાં હોય, સોમવારે ટેકાની ખરીદીના પ્રથમ દિવસે જામનગરના એક પણ ખેડૂતે "સરકાર"ને મગફળી આપી નથી. સતાવાળાઓએ નિયમ મુજબ, ૪૫ ખેડૂતોને મગફળી વેંચવા આમંત્રણ આપતાં એસએમએસ કરેલાં.
તેની સામે રવિવારે રાત્રે ૧૨ વાગ્યાથી સોમવારની સવારે ૫ વાગ્યા સુધીમાં યાર્ડ ખાતે ૫૨૫ વાહનોમાં ૩૫૦૦૦ ગુણી મગફળી હરાજીમાં વેચાવા આવેલી. ખેડૂતોને રુપિયા ૮૫૦થી માંડીને રુપિયા ૧૪૩૬ સુધીના ઐતિહાસિક ભાવો મળ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો