સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓને ખૂલ્લામાં શૌચક્રિયામાંથી મુકત બનાવવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લાના નંદાણામાં જમનભાઇ નકુમ નામના સ્થાનિકે સરકારની મદદથી શૌચાલય બનાવ્યું છે. સરપંચ તથા સ્વચ્છતાઆગ્રહીના સહયોગથી આ કામ શકય બન્યું હવે, આ પ્રકારના પરિવારોના મહિલાઓ, અન્ય સભ્યોએ શૌચક્રિયા માટે બહાર જવું પડતું નથી. ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના સંકલનથી આ કામગીરી કરવામાં આવે છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો