સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાંઓને ખૂલ્લામાં શૌચક્રિયામાંથી મુકત બનાવવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લાના નંદાણામાં જમનભાઇ નકુમ નામના સ્થાનિકે સરકારની મદદથી શૌચાલય બનાવ્યું છે. સરપંચ તથા સ્વચ્છતાઆગ્રહીના સહયોગથી આ કામ શકય બન્યું હવે, આ પ્રકારના પરિવારોના મહિલાઓ, અન્ય સભ્યોએ શૌચક્રિયા માટે બહાર જવું પડતું નથી. ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયતના સંકલનથી આ કામગીરી કરવામાં આવે છે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો