ગત્ માર્ચમાં ધ્રોળ ખાતે દિવ્યરાજસિંહ (દીવુભા)ની હત્યા થયેલી. પડધરી ટોલનાકા પર થયેલાં ડખ્ખા બાબતે આ હત્યા નિપજાવવામાં આવેલી. બાદમાં આ ગુના સંબંધે અનિરૂધ્ધસિંહ સોઢા (મુખ્ય આરોપી) મુસ્તાક રફીક પઠાણ, અજિત ઠાકુર (ઉતરપ્રદેશ), અખિલેશ ઠાકુર (ઉતરપ્રદેશ), ઓમદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ (કાનો) જાડેજાની ધરપકડો થયેલી.
હાલમાં એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, પરોલફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે ઉતરપ્રદેશના શાર્પશૂટર (વોન્ટેડ) રોહિતસિંહ (સોનુ)ને ઝડપી લીધો છે. આરોપીને ગઇકાલે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે નામંજૂર કરી હતી. આરોપી ફરી આજે સેસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો