જામનગર નજીકના જાંબુડામાં સર્વે નંબર ૨૪૪ પૈકીની કરોડોની જમીનનું બનાવટી દસ્તાવેજોથી કૌભાંડ થયેલું. જેમાં અગાઉ બે આરોપીઓને ઝડપી લેવાયા પછી વધુ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ દેવમુરારી, ગોજિયાની ટીમના સભ્યોએ અજય દેવાયત બરાડીયા (મોખાણા), અમૃતલાલ નાનજી મારૂ (વંડાફળી) તથા જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (રામેશ્વરનગર)ને ઝડપી લીધાં છે. જે પૈકી જશપાલ (યશપાલ)સિંહ જમીન માફિયા જયેશ પટેલના સાગરિત તરીકે ઘણાં સમયથી કુખ્યાત છે. તેના વિરૂધ્ધ અગાઉના એસપી સમક્ષ પણ ફરિયાદ થયેલી.
આ કૌભાંડમાં આ અગાઉ ભાવસંગ ભૂપતસંગ જાડેજા (જાંબુડા) તથા રણજિતસિંહ પોપટભા જાડેજા ગીરા ( અંધાશ્રમ આવાસ)ની પર ધરપકડ થયેલી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો