મુખ્ય સામગ્રી પર જાઓ

એ.કે.જમાલ બિલ્ડીંગનું રિસ્ટોરેશન કરવામાં આવશે


    જામનગરમાં હાલ ઈન્સ્ટીટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ તરીકે કાર્યરત એ.કે.જમાલ બિલ્ડીંગ (સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક) આગામી સમયમાં રિસ્ટોરેશન પામશે. આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. અનુપ ઠાકર તથા ડો. જોબન મોઢા દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ૧૯૧૩ માં આઉટડોર ડિસ્પેનસરી તરીકે બનાવવામાં આવ્યું હતું. એ.કે.જમાલ ત્યારે રંગૂન ખાતે વેપાર કરતાં અને પોતાના વતન જામનગરમાં લોકોને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ બિલ્ડીંગ બનાવવા દાન આપ્યું હતું. જામ રણજીતસિંહ દ્વારા આ બિલ્ડીંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્ટેટનાં એ સમયનાં ઈજનેર ફૂલચંદ પારેખ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન બનાવવામાં આવી હતી. મુંબઈનાં તત્કાલીન અંગ્રેજ ગવર્નર દ્વારા ૧૯૧૬ માં આ ડિસ્પેનશરી લોકો માટે ખૂલ્લી મૂકવામાં આવી હતી. ૧૦૬ વર્ષ પછી હવે આ બિલ્ડીંગ નવાં રૂપરંગ ધારણ કરશે.
 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...