જામનગર મહાનગરપાલિકા તા.3/9/2022 ના રોજ આઠમા તબક્કાનો વોર્ડ નંબર 15 અને 16 નો સેવા સેતુ કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાયો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીની જુદી - જુદી સેવાઓ જેમકે, નવા આધાર કાર્ડ તથા આધારકાર્ડમાં સુધારો, આવકનો દાખલો, જાતિનો દાખલો, કુંવરબાઈનું મામેરુ ,દિવ્યાંગ બસ પાસ ,મરણોત્તર સહાય, ઈ- શ્રમ રજીસ્ટ્રેશન, જન્મ નોંધણી, સોપ રજીસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, મોબાઇલ બેન્કિંગ, જન ધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, વિધવા સહાય, રાશન કાર્ડ માં સુધારા, પી.એમ. સ્વનિધિ, હેલ્થચેકઅપ, covid રસીકરણ કેન્દ્ર, પીજીવીસીએલ ને લગતી સેવાઓ, ટેક્સ વિભાગને લગતી અરજીઓ સહિતના વિભાગોએ શહેરીજનોને સેવાઓ પૂરી પાડી હતી, આ કાર્યક્રમનો અંદાજિત 1600 થી 1800 લાભાર્થીઓ એ લાભ લીધો હતો અને ટેક્સ વિભાગને લગતી 188 અરજીઓ મળી હતી.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે.ચેરમેન મનીષ કટારીયા ,શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા , દંડક કેતન ગોસરાણી , કમિશનર વિજય ખરાડી , નાયબ કમિશનર ભાવેશ જાની એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ વોર્ડ નં 15 અને 16 ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જયંતી ગોહિલ, પાર્થ કોટડીયા, ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, વિનોદ ખીમસુરીયાએ હાજર રહી સહયોગ આપ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો