થોડાં સમય પહેલાં જામનગર પોલીસે શહેર કોંગ્રેસ અધ્યક્ષ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ સહિતનો ગુનો નોંધી આ હોદેદારોની ધરપકડ કરી હતી અને અદાલતની મંજૂરી પછી બંને હોદ્દેદારોને ચાર દિવસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા પછી ગઈકાલે શુક્રવારે બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતે બંનેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો