મુખ્ય સામગ્રી પર જાઓ

સ્લમ વિસ્તારની દિકરીઓએ ઉચ્ચ અધિકારીઓને બાંધી રાખડીઓ


    ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનાં પ્રતિક એવાં રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવવાના હેતુથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અંતગર્ત ચાલતા પ્રોજેક્ટ ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટર જમનભાઈ સોજીત્રા અને તેમની સમગ્ર સીટી ચાઈલ્ડલાઈન 1098 અને રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્કટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

    આ રક્ષાબંધનની ઉજવણીમાં મહત્વની બાબત એ રહી કે,  કલેકટરને,પોલીસ અધીક્ષકને,  મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશ્નરને, સીટી મામલતદારને, સમાજ સુરક્ષા વિભાગના જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ જીલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને, બાળ સુરક્ષા એકમના જીલ્લા બાળ સુરક્ષા અધિકારીને,શિક્ષણ વિભાગના જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને, જામનગર રેલ્વે વિભાગના સ્ટેશન મેનેજરને, રેલ્વે પોલીસ ફોર્સના IPF અને SIPF વગેરે અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અધિકારીઓને બાંધવામાં આવેલ રાખડીની વિશેષતા એ હતી કે આ રાખડીઓ દિકરીઓએ જાતે બનાવી હતી અને 15મી ઓગસ્ટના પર્વને ધ્યાને રાખી તિરંગાનો રંગ અપાયો હતો.

    આ અનોખી ઉજવણી અંગે 1098 ના કો-ઓર્ડીનેટર ગીતા જોશી જણાવે છે કે જુદાજુદા વિભાગના અધિકારીઓને સ્લમ વિસ્તારની દિકરીઓ દ્વારા રાખડી બંધાવવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે સ્લમ વિસ્તારની દિકરીઓ પોતે બનાવેલી રાખડીઓ અધિકારીઓને બાંધે તો તેની કલાને પ્રોત્સાહન મળે તેમજ દિકરીઓએ જાતે બનાવેલ રાખડી સ્વહસ્તે જ જુદાજુદા અધિકારીઓને બાંધે ભવિષ્યમાં ક્યારેય કોઈ દિકરી મુશ્કેલીમાં હોઈ તો તેને જે તે વિભાગના અધિકારીઓને રાખડીઓ બાંધી હતી ત્યાંથી રક્ષણ,સુરક્ષા,મદદ અને માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ સંપાદન થાય.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...