મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં તિરંગા યાત્રા, ૭૫ મીટર લાંબો ધ્વજ લહેરાયો.....

 


    જામનગરમાં શુક્રવારે મહાનગરપાલિકા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા તળાવની પાળેથી શરૂ થઈ રણજિતનગર પટેલ સમાજ નજીક પૂર્ણ થઈ હતી.
    મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્યો આર.સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત આ યાત્રામાં ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયા, શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા, કલેકટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ તથા શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતાં. યાત્રામાં ૭૫ મીટર લાંબો ધ્વજ વિદ્યાર્થીઓની મદદથી લહેરાવવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રા રણજિતનગર પટેલ સમાજ નજીક પૂર્ણ થઈ હતી.

ટિપ્પણીઓ