જામનગરનાં પ્રદર્શન મેદાનમાં શુક્રવારે કોર્પોરેશન દ્વારા શ્રામણી લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ તકે મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનિષ કટારિયા, કમિશનર વિજયકુમાર ખરાડી, નગરસેવિકાઓ તથા નગરસેવકો અને શહેર ભાજપાનાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતાં.
અત્રે નોંધનીય છે કે, ૧ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ સુધી પ્રદર્શન મેદાનમાં એક ખાનગી પાર્ટી દ્વારા સમગ્ર મેળો ઓપરેટ થયો, ધમધમતો રહ્યો, જે અંગે કોઈ પણ તંત્ર કે મહાનુભાવો દ્વારા પાછલાં અગિયાર દિવસમાં એક પણ સત્તાવાર નિવેદન કે જાહેરાત થવા પામ્યા ન હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો