જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના ૧૪ લોકો વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ અને થયેલી કેટલીક ધરપકડો બાદ પોલીસતંત્ર લાંબા સમયથી ખામોશ છે તે દરમ્યાન ગાંધીધામ, ડીઆરઆઇ તથા મુંબઇ-અમદાવાદ ડીઆરઆઇ દ્વારા જયેશ પટેલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ કરોડો રૂપિયાની વિદેશી સિગારેટોનું પ્રકરણ ફરી શરૂ થયું છે. આ પ્રકરણ પણ ચાર વર્ષ જૂનું છે. એડવોકેટ કીરીટ જોષીના હત્યારાઓ પણ હજૂ ઝડપાયા નથી, તેમાં પણ જયેશ પટેલનું નામ છે. જયેશ પટેલ ગાંધીધામ ગયા પછી દેશ છોડી ભાગી ગયાનું જાહેર થયું છે. જો કે તેના ઠેકાણાં વિષે કોઇ જ સતાવાર વિગતો જાહેર થવા પામતી નથી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો