જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના ૧૪ લોકો વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ અને થયેલી કેટલીક ધરપકડો બાદ પોલીસતંત્ર લાંબા સમયથી ખામોશ છે તે દરમ્યાન ગાંધીધામ, ડીઆરઆઇ તથા મુંબઇ-અમદાવાદ ડીઆરઆઇ દ્વારા જયેશ પટેલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ કરોડો રૂપિયાની વિદેશી સિગારેટોનું પ્રકરણ ફરી શરૂ થયું છે. આ પ્રકરણ પણ ચાર વર્ષ જૂનું છે. એડવોકેટ કીરીટ જોષીના હત્યારાઓ પણ હજૂ ઝડપાયા નથી, તેમાં પણ જયેશ પટેલનું નામ છે. જયેશ પટેલ ગાંધીધામ ગયા પછી દેશ છોડી ભાગી ગયાનું જાહેર થયું છે. જો કે તેના ઠેકાણાં વિષે કોઇ જ સતાવાર વિગતો જાહેર થવા પામતી નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો