દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલાં ખેડૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા વગેરે આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. મીણબતીઓ પ્રજવલિત કરી શ્રધ્ધાંજલિ આપી હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો