જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીપીઇ કીટ મંગાવવાથી લઇને વપરાશ પછીના નિકાલ સુધીની કામગીરી આરએમઓ ડો. અલ્પેશ અગ્રાવતના માર્ગદર્શન પ્રમાણે થઇ રહી છે. હવે પીપીઇ કીટનો વપરાશ ઘટયો છે. આ ઉપરાંત કોરોના હોસ્પિટલ ખાતે ટ્રિપલ લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, ફેઇસ શિલ્ડ વગેરેની વ્યવસ્થા તેઓ સંભાળી રહ્યા છે. ૪૦,૦૦૦ નું એક એવા ૪૦૦ ઇન્જેકશન (ટોસાલીઝમ) કોરોના દર્દીઓને આપવામાં આવ્યા છે. દરરોજ ૯૦૦ થી ૧૪૦૦ જેટલા માસ્ક-ફેઇસ શિલ્ડનો ઉપયોગ થતો હતો તે હવે ૪૦૦ ઘયો છે.
આ ઉપરાંત જીવનરક્ષક દવાઓથી માંડીને આગ બચાવ કામગીરી સુધીની બાબતોમાં આરએમઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો