જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ મી ઓકટોબરે પટેલ સમાજ ચોખ ખાતે સરકાર પટેલની પ્રતિમાને જન્મજયંતિ નિમિતે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી લાલબંગલા ખાતે બળાત્કાર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવેલી. જેમાં પક્ષના શહેર પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા, પ્રમુખ દિલીપસિંહ જાડેજા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. અને દુષ્કર્મના તમામ કેસોના આરોપીઓને ઝડપીથી, કડક સજાની માંગણી કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો