જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ૩૧ મી ઓકટોબરે પટેલ સમાજ ચોખ ખાતે સરકાર પટેલની પ્રતિમાને જન્મજયંતિ નિમિતે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. ત્યાર પછી લાલબંગલા ખાતે બળાત્કાર વિરોધી દિનની ઉજવણી કરવામાં આવેલી. જેમાં પક્ષના શહેર પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા, પ્રમુખ દિલીપસિંહ જાડેજા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. અને દુષ્કર્મના તમામ કેસોના આરોપીઓને ઝડપીથી, કડક સજાની માંગણી કરવામાં આવી હતી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો