જામનગરના ધરારનગર-૨ વિસ્તારમાં જૂના બારમાળિયા આવાસ છે તેમાં ૧૦ નંબરના આવાસમાં રહેતાં હુશેનભાઇ અન્સારીના મકાનમાં શનિવારે સાજેં આગ લાગતાં તમામ ઘરવખરી સળગી ગયા પછી ત્યાં પહોંચેલી ફાયરશાખાની ટૂખડીએ આગ બુઝાવી હતી. (આવાસમાં અગ્નિસમન વ્યવસ્થા નથી હોતી?!)
જેના ઘરમાં આગ લાગી છે તે વ્યકિતએ બૂટલેગરો વિરૂધ્ધ કરેલી અરજીનો ખાર રાખી આગ લગાવવામાં આવી છે, એવો આક્ષેપ છે. સિટી સી પોલીસ સ્ટેશનમાં આવી કોઇ અરજી થઇ છે? અરજીમાં કોના નામો છે? અરજી સંદર્ભે પોલીસે કોઇ કાર્યવાહી કરી છે ? વગેરે પ્રÅનો આગના આ બનાવના કારણે સર્જાયા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો