જામનગર નજીકના દરેડમાં ફેસ-થ્રીમાં ભાવિન મનસુખભાઇ ગોહિલના કારખાનામાં શનિવારે સવારે આગ લાગી હતી. આ ઔદ્યોગિક શેડનો નંબર ૪૩૯૬ છે. આ કારખાનામાં અગ્નિશમન ના સાધનો ન હતાં તેથી ફાયરશાખાની ટૂકડી આવી ત્યાં સુધી આગ સળગતી રહી.
કારખાનામાં આગને કારણે બ્લોઅર, અલ્ટ્રાસોનિક ફીલ્ટર, મશીનરી વગેરેને નુકસાન થયાનું કારખાનામાલિક તથા ફાયરશાખા જણાવે છે.
આટલાં બધાં ઉદ્યોગનગરો હોવા છતાં એક ષન ઉદ્યોગનગરમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું નથી, તે પણ જાવા લાયક સમાચાર છે.
શંકરટેકરી ઉદ્યોગ, ફેઇસ ૨, ૩ ઉદ્યોગનગરના લગભગ કારખાનાઓમાં અગ્નિશમન(ફાયર સુવિધા) નથી. સરકાર આ મુદે્ ઘણાં વષાથી વાતુ કરે છે પરંતુ હજુ સુધી ફાયરની સુવિધા વસાવેલ ના હોય તેવા ઉદ્યોગ ઉપર કોઇ જ કાર્યવાહી થતી નથી. ફકત સમયાંતરે આગના ઘટના સમયે યાદ કરવામાં આવે છે. પણ અમલ નહી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો