જામનગરના નગરજનોને વધુ સારી જળવ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે પંપ હાઉસની કાયાપલટ થઇ રહી છે. પાછલાં ૬ મહિનામાં ૩૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. એક-દોઢ વર્ષમાં સંપૂર્ણ પ્રોજેકટ કાર્યરત થશે. આ પ્રોજેકટથી પાણીની સંગ્રહક્ષમતામાં ૨૦ ટકાનો વધારો થશે. ૨૭ એમએલડી નો ફીલ્ટર પ્લાન્ટ ૩૦ એમએલડીનો બનશે. ૧૬૨ લાખ અને ૭૪ લાખ લિટરના બે નવા સમ્પ બનાવવામાં આવી રહ્યા છે. પ્રોજેકટનો કુલ ખર્ચ ૧૯ કરોડ છે. આ ઉપરાંત રણજિતસાગર રોડ પર કન્યા છાત્રાલય ખાતે ૫૦ લાખ લિટરની ક્ષમતાનો સમ્પ બનાવવામાં આવી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો