જામનગરના સમસ્ત સતવારા સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, તાજેતરમાં સતવારા સમાજના હિતેષ ચંદ્રકાંતભાઇ પરમારે ભૂમાફિયાઓના ત્રાસથી આપઘાત કર્યો છે. આ મૃતકના પરિવારને પોલીસરક્ષણ આપવું જોઇએ તથા આ પ્રકરણમાં મૃતકના પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે આરોપીઓ વિરૂધ્ધની તમામ કાર્યવાહીઓ ઝડપથી કરવા માંગણી કરી છે.
સતાવારા સમાજની બીજી અનેક જમીનમાં માફિયાઓએ પેશકદમી કરી છે તે તમામ જમીનોની તપાસની માંગણી પણ થઇ છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ કણઝારિયા, શ્યામ કણઝારિયા, રામજી બૂમતરીયા વગેરેએ આ આવેદનપત્ર આપ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો