જામનગરના કોંગ્રેસના નગરસેવક આનંદ રાઠોડ દ્વારા આક્ષેપ પત્રિકાઓ વેચવામાં આવી છે. પત્રિકામાં જણાવ્યું છે. ભાજપાએ પાંચ વર્ષમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કર્યો નથી. સ્વચ્છતા મામલે નોંધપાત્ર કામગીરી કરી નથી. કરાર આધારિત ૫૪ કર્મચારીઓને ૧૨ વર્ષથી હંગામી છે તેમને કાયમી કર્યા નથી. પાંચ વર્ષ દરમ્યાન લોકોએ અનેક રજૂઆતો કરવી પડી અને આંદોલનો કરવા પડયા. પૂરતું શુધ્ધ પાણી આપ્યું નથી., પાણીચાર્જ બમણો વસૂલ્યો છે. જેએમસીમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીઓ કરી નથી. પાંચ વર્ષમાં ત્રીજું સ્મશાન નથી બનાવી શકયા. પાંચ વર્ષમાં રમતગમત માટે શાસકોએ એક પણ મેદાન વિકસાવ્યું નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો