જામનગરના કોંગ્રેસના નગરસેવક આનંદ રાઠોડ દ્વારા આક્ષેપ પત્રિકાઓ વેચવામાં આવી છે. પત્રિકામાં જણાવ્યું છે. ભાજપાએ પાંચ વર્ષમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કર્યો નથી. સ્વચ્છતા મામલે નોંધપાત્ર કામગીરી કરી નથી. કરાર આધારિત ૫૪ કર્મચારીઓને ૧૨ વર્ષથી હંગામી છે તેમને કાયમી કર્યા નથી. પાંચ વર્ષ દરમ્યાન લોકોએ અનેક રજૂઆતો કરવી પડી અને આંદોલનો કરવા પડયા. પૂરતું શુધ્ધ પાણી આપ્યું નથી., પાણીચાર્જ બમણો વસૂલ્યો છે. જેએમસીમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીઓ કરી નથી. પાંચ વર્ષમાં ત્રીજું સ્મશાન નથી બનાવી શકયા. પાંચ વર્ષમાં રમતગમત માટે શાસકોએ એક પણ મેદાન વિકસાવ્યું નથી.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો