આગામી દિવાળીના સમયમાં ફટાકડાના વેપાર માટે ધંધાર્થીઓને એસડીએમ કચેરી દ્વારા ફટાકડાના હંગામી પરવાનાઓ આપવામા આવશે. ૫૦૦ ચોરસ ફૂટથી નાની જગ્યા વાળાને પરવાનો મળશે નહીં. હોસ્પિટલ, ખાણીપીણીની દુકાનો જેવા જાહેર સ્થળોથી ૧૫ મીટર દૂરના સ્થળે જ પરવાનો મળશે. અરજી ફોર્મ શહેર મામલતદાર કચેરીએથી મળશે. ૨૭ ઓકટોબર સુધીમાં આધાર પૂરાવાઓ સાથે અરજીઓ પરત આપવાની રહેશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો