આગામી દિવાળીના સમયમાં ફટાકડાના વેપાર માટે ધંધાર્થીઓને એસડીએમ કચેરી દ્વારા ફટાકડાના હંગામી પરવાનાઓ આપવામા આવશે. ૫૦૦ ચોરસ ફૂટથી નાની જગ્યા વાળાને પરવાનો મળશે નહીં. હોસ્પિટલ, ખાણીપીણીની દુકાનો જેવા જાહેર સ્થળોથી ૧૫ મીટર દૂરના સ્થળે જ પરવાનો મળશે. અરજી ફોર્મ શહેર મામલતદાર કચેરીએથી મળશે. ૨૭ ઓકટોબર સુધીમાં આધાર પૂરાવાઓ સાથે અરજીઓ પરત આપવાની રહેશે.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો