જામનગરમાં ખોજા નાકા બહારના વિસ્તારમાં મણિકર્ણિકેશ્વર મંદિર નજીક પુલના અધૂરાં કામને કારણે, પુલ જવાથી હજારો લોકો પરેશાન છે - એ રિપોર્ટ તારીખ બીજી ઓકટોબરે "અંજલિ ન્યૂઝ" દ્વારા જાહેર કરવામાં આવેલો. જેમાં જણાવાયું હતું કે, મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી.
આજની તારીખે પણ પરિસ્થિતિ આ જ છે. તાજેતરમાં રવિવારે સાવ સામાન્ય વરસાદ આવ્યો ત્યારે આ પુલ ફરીથી ધોવાઇ ગયો છે. હજારો લોકો પરેશાન છે. દર વખતે વરસાદને કારણે આમ બને છે છતાં પુલનો રોડ મજબૂત રીતે બનાવવામાં આવતો નથી એવી ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ વિસ્તારના નાગરિકો મદદ માટે "અંજલિ ન્યૂઝ' ને આ અંગે અચૂક જાણ કરે છે. સ્થાનિક લોકોએ માંગણી કરી છે કે આ પુલ યોગ્ય રીતે ફરી બનાવી રોડ ચાલુ કરવામાં આવે જેથી લોકોને વધુ હાલાકી ભોગવી ન પડે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો