જામનગરના રામેશ્વરનગરમાં કે.પી.શાહની વાડીમાં નિવૃત જમાદારના પુત્ર અશોકસિંહ કિરીટીસિંહ ગોહિલના ઘરે એલસીબી ટીમ દ્વારા દરોડો પાડી ક્રિકેટનો ડબ્બો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે અશોકસિંહ ઉપરાંત વિજયસિંહ ધનુભા જાડેજા નામના શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સો વિજયસિંહ રાયજાદા તથા ચિકુભાઇ નામના શખ્સો પાસે સટ્ટાની કપાત કરાવતા હોવાનું ખૂલ્યું છે. પાછલા ૧૫ દિવસમાં ક્રિકેટના ડબ્બા પર આ પાંચમો દરોડો છે. આ દરોડામાં ૨ આરોપી ઝડપાયા છે અને ૪૪ જેટલાં આરોપીને પોલીસએ ફરાર જાહેર કર્યા છે.
આ દરોડાની કામગીરી એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ ગોજિયા તથા દેવમુરારીની ટીમના ભરતભાઇ પટેલ, હરપાલસિંહ, અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, ભગીરથસિંહ, લાભુભાઇ ગઢવી, લખમણભાઇ ભાટીયા વગેરે કરી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો