જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે લોકશાહી બચાવો મંચના નેજા હેઠળ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મહાનગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા એ.એ. ચાકી, પૂર્વ નગરસેવિકા નિર્મળાબેન કામોઠી, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ (કાર્યકરી) કર્ણદેવસિંહ જાડેજા, લોકસરકાર મંચના ઇન્ચાર્જ જિગર રાવલ વગેરે આ ધરણાંમાં જોડાયા છે.
આ મંચ દ્વારા ઉતરપ્રદેશ હાથરસકાંડ તથા જામનગરના દુષ્કર્મકાંડમાં ઝડપી અને તટસ્થ તેમ જ કડક ન્યાયની માંગણી કરવામાં આવી છે. ઉતરપ્રદેશ તથા કેન્દ્રની સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો