જામનગરના જળાશયોમાં બે વર્ષ ચાલે તેટલું પાણી છે. ભાજપાએ ચૂંટણી ઢંઢેરામાં લોકોને દૈનિક પાણીનો કોલ આપેલો છે. થોડાં સમય પહેલાં શાસકોએ દૈનિક પાણી વિતરણની વાત પણ કરી હતી.
બીપીએમસી એકટ મુજબ, દૈનિક પાણી તથા સારાં રસ્તાઓ મહાનગરપાલિકાની પ્રાથમિક ફરજ છે. લોકો પાસેથી આખા વર્ષનો પાણીચાર્જ વસૂલવામાં આવે છે. સતાવાળાઓ ૩૬૫ દિવસ પાણી આપતાં નથી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી ગરીબ લોકોને દૈનિક પાણી આપે છે અને તે પણ વિના મૂલ્યે. શ્રીમંત લોકોને સસ્તુ પાણી આપે છે. જામનગરમાં પણ દિલ્હી મોડેલ મુજબ મહાનગરપાલિકાએ નગરજનોને પાણી આપવું જોઇએ એવી માંગણી સાથે આમ આદમી પાર્ટીના જામનગર શહેર પ્રભારી અનિરૂધ્ધસિંહ ઝાલા તથા અન્ય આગેવાનોએ મહાનગરપાલિકા સતાવાળાઓને આવેદનપત્ર આપ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો