મુખ્ય સામગ્રી પર જાઓ

જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ

    જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના ૫૬.૩૩ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૧૯ કામોનું મંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા.

    રૂ.૬.૬૪ કરોડના ખર્ચે સિક્કા વોટર સપ્લાયનું કામ, રૂ.૫.૪૦ કરોડના ખર્ચે બુટાવદર, સંગચિરોડા, મોટી ભરાડ, કલ્યાણપુર, શેઠવડાળા રોડ, રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ડોઢિયા-ખોજા બેરાજા રોડ, રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે નાની નાગજાર -સોરઠા રોડ, રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નાની ખાવડી-મૂંગણી રોડ, રૂ.૨.૪૫ કરોડના ખર્ચે અંબાલા-કોયલી રોડ, રૂ.૨.૨૦ કરોડના ખર્ચે વસઈ-આમરા-જીવાપર-ડોઢિયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે ચંદ્રગઢ થી ચંદ્રગઢ પાટીયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે સોગઠી-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૮૦ કરોડના ખર્ચે લોઠિયા-ખોજાબેરાજા રોડ, રૂ.૧.૬૦ કરોડના ખર્ચે આમરા-શાપર રોડ, રૂ.૧.૫૦ કરોડના ખર્ચે મોટી બાણુંગર-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૩૦ કરોડના ખર્ચે સોરઠા રોડ, રૂ.૧.૪૭ કરોડના ખર્ચે શહેરી સડક યોજના અંતર્ગતના કામો નો સમાવેશ થતો હતો.

    આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.ફળદ, મેયર બીનાબેન કોઠારી હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, રમેશભાઈ મુંગરા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...