મુખ્ય સામગ્રી પર જાઓ

પોલીસકર્મીઓનો વિદાયમાન સમારોહ યોજાયો

    તાજેતરમાં જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા ૩૨૯ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી ના હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા ની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી,  કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઇ બુધસી  ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ છે.

    આ ત્રણેય પોલીસકર્મીઓએ પોતાનાં કાર્યકાળ  દરમિયાન પોલીસ સ્ટે.ખાતે નોંધાયેલ કેસો જેવા કે, વિશાળ જથ્થામાં દારૂ પકડ્યાના તેમજ રાત્રીના સમયે મોટાપાયે રમાતા જુગાર તેમજ ટેબલ પર કાનૂની કામગીરી કરી બહોળા પ્રમાણમાં લોક ચાહના મેળવી અને કાયદાના રક્ષક તરીકેની ફરજો બજાવી હતી.

    ત્યારબાદ, સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બદલી પામેલાં આ ત્રણેય પોલીસ કર્મીઓ નું પુષ્પગુચ્છ વડે  સન્માન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એન.વી.હરિયાણીની બદલીનો પણ હુકમ થયો છે.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...