તાજેતરમાં જામનગર પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા ૩૨૯ પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગર સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી ના હેડ.કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ જાડેજા ની ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી, કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઇ બુધસી ની સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવેલ છે.
આ ત્રણેય પોલીસકર્મીઓએ પોતાનાં કાર્યકાળ દરમિયાન પોલીસ સ્ટે.ખાતે નોંધાયેલ કેસો જેવા કે, વિશાળ જથ્થામાં દારૂ પકડ્યાના તેમજ રાત્રીના સમયે મોટાપાયે રમાતા જુગાર તેમજ ટેબલ પર કાનૂની કામગીરી કરી બહોળા પ્રમાણમાં લોક ચાહના મેળવી અને કાયદાના રક્ષક તરીકેની ફરજો બજાવી હતી.
ત્યારબાદ, સિટી-એ ડિવિઝન દરબાગઢ પોલીસ ચોકી પીએસઆઈ એન.વી.હરિયાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બદલી પામેલાં આ ત્રણેય પોલીસ કર્મીઓ નું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. પીએસઆઈ એન.વી.હરિયાણીની બદલીનો પણ હુકમ થયો છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો