તાજેતરમાં મુખ્યમંત્રીએ જામનગર જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી ત્યારે શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાએ લમ્પી રોગચાળા સંદર્ભે અને ગાયોનાં મોત સંદર્ભે સેવા સદન બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તે ઘટનાને પોલીસે રાજકીય રંગ આપી દિગુભા જાડેજા તથા શહેર મહામંત્રી પાર્થ પટેલ વિરૂદ્ધ આકરી કલમો લગાડી છે એવો આક્ષેપ કોન્ગ્રેસ દ્વારા થતાં રાજકીય ગરમાવો આવ્યો છે. અદાલતે દિગુભા જાડેજા નાં ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા પક્ષનાં જિલ્લા અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા વગેરેએ પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો