જામનગરમાં ધરારનગર-૨ વિસ્તારમાં અસગરી ચોક નજીકના વિસ્તારમાં સોમવારે રાત્રે તાજિયા પડમાં લાવતી વખતે એક સ્થળે ગટર પરની પાપડી તૂટતાં તાજિયાના કાંધિયાઓ પડી જતાં તાજિયો સ્હેજ નમી ગયો અને વીજવાયરને અડકી જતાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે યુવાનોનાં મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી અને ૧૦ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલ ખાતે સંખ્યાબંધ લોકો ઉમટી પડ્યા હતાં.
જે બે યુવાનોના મોત નીપજ્યા છે તે પૈકી એક યુવાન અબુ હનીફાની મસ્જિદ નજીકના વિસ્તારમાં રહેતો હતો, તેનું નામ આસિફ યુનુસભાઈ મલેક (૨૩) અને અન્ય મૃતક યુવાન દિગ્જામ મિલ પાછળ આનંદ સોસાયટીમાં રહેતો હતો તેનું નામ મહમ્મદવાહીદ મજીબુલ્લા પઠાણ (૨૦) હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ તકે એસપી પ્રેમસુખ ડેલુ પોતાના કાફલા સાથે ઘાયલોની ખબર અર્થે હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો