જામનગર સહિત રાજ્યભરમાં હજારો તલાટીઓ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકારને વારંવાર રજૂઆતો કરે છે. આ રજૂઆતો હજુ પણ અણઉકેલ હોવાથી હજારો તલાટીઓ બીજી ઓગસ્ટથી હડતાળ પર છે. તાજેતરમાં જામનગર જિલ્લા સરપંચ સંગઠન મંડળ ( પ્રમુખ મહેશભાઈ આહિર) દ્વારા તલાટીઓના આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, તલાટીઓની વાજબી માગણીઓનુ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ કેમ કે, તલાટીઓની હડતાળથી લાખ્ખો ગ્રામજનોના અસંખ્ય કામો ઠપ્પ થયાં છે. ગ્રામ પંચાયતોમાં કોઈ કામો થઈ શકતાં નથી. સરપંચોના આ સંગઠને જિલ્લા સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો